કોઈએ તમારી સાથે સંપર્ક તોડ્યો છે એની ખબર કેવી રીતે પડે

જો કોઈએ તમારી સાથે સંપર્ક તોડ્યો છે, તો આ રીતે ખબર પડશે:
  • તમે હવે સંપર્કે છેલ્લે ક્યારે જોયું કે તેઓ ઓનલાઇન છે કે નહિ તે જોઈ શકશો નહિ.
  • તમે સંપર્કોના સ્ટેટસ જોઈ શકતા નથી.
  • તમે તે સંપર્કના પ્રોફાઇલ ફોટોમાં કોઈ અપડેટ જોઈ શકતા નથી.
  • જેણે તમારી સાથે સંપર્ક તોડ્યો છે તેવા સંપર્કને મેસેજ મોકલો ત્યારે તે મેસેજમાં તમે મેસેજ મોકલ્યો છે તે બતાવતો માત્ર એક ગ્રે ચેકમાર્ક દેખાશે. તેમાં બીજા કોઈ ચેકમાર્ક દેખાશે નહિ.
  • તમે જે પણ કૉલ કરવાનો પ્રયત્ન કરો છો તે જશે નહિ.
  • જો તમે ગ્રૂપ એડમિન હો, તો તમે તેમને ગ્રૂપમાં ઉમેરી શકતા નથી.
જો તમે સંપર્ક માટેની ઉપર આપેલી બધી બાબતો જુઓ, તો તેનો અર્થ એ થઈ શકે કે તેઓએ તમારી સાથેનો સંપર્ક તોડ્યો છે. પરંતુ તેવું અન્ય કારણોસર પણ બની શકે છે. તમારી સાથે કોઈ સંપર્ક તોડે, ત્યારે અમે તમને સૂચિત કરી શકતા નથી.

સંબંધિત લેખ

શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?

હા
નહીં